નીતિ આયોગની બેઠક: ઈન્ડિયા ગઠબંધનથી મમતા બેનર્જીનો રસ્તો અલગ, આજે નીતિ આયોગની બેઠકમાં થશે સામેલ; આ વિપક્ષી CMએ કર્યો બહિષ્કાર
- 27 Jul, 2024
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્સિલની 9મી બેઠકની અધ્યક્ષતા કરશે. ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રી, કેન્દ્ર શાસિત પ્રદેશોના ઉપ રાજ્યપાલ અને ઘણા કેન્દ્રીય મંત્રી સામેલ છે. પીએમ મોદી નીતિ આયોગના ચેરમેન છે.
સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, ઘણા વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ બજેટમાં ભેદભાવનો આરોપ લગાવતા બેઠકનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. બહિષ્કાર કરનાર મુખ્યમંત્રીઓમાં તમિલનાડુના સીએમ એમ કે સ્ટાલિન, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની સાથે-સાથે આમ આદમી પાર્ટીની આગેવાનીવાળી પંજાબ અને દિલ્હી સરકાર સામેલ છે. આ સિવાય કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિંહ સુક્ખૂ અને તેલંગાનાના સીએમ રેવંત રડ્ડીએ પણ બેઠકમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.
જોકે તેનાથી વિપરીત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી બેઠકમાં સામેલ થશે. બેનર્જીએ કહ્યું કે આ નેતાઓના અવાજને એક સામાન્ય મંચ પર ઉઠાવવો જોઈએ. તેની સાથે મમતાએ માંગ કરી કે નીતિ આયોગને ખત્મ કરી દેવું જોઈએ અને ફરીથી યોજના આયોગને સ્થાપવું જોઈએ.
આ દરમિયાન બીજૂ જનતા દળના સાંસદ સસ્મિત પાત્રાએ વિપક્ષી દળોના નીતિ આયોગની બેઠકનો બહિષ્કાર કરવાના નિર્ણયનું સમર્થન કર્યું છે અને કેન્દ્ર પર રાજ્યોને બજેટમાં તેમનો હિસ્સો આપવાથી ઈન્કાર કરવાનો આરોપ લગાવ્યો છે. ઝારખંડ મુક્તિ મોર્ચાના સાંસદ મહુઆ માંઝીએ કહ્યું કે તેમની પાર્ટી રાજ્યોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરશે.
અધિકારિક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ બેઠકમાં વિકસિત ભારત સાથે જોડાયેલા દ્રષ્ટિકોણ પત્ર પર ચર્ચા થશે. નિવેદન મુજબ, આ બઠકનો ઉદેશ્ય કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે સહભાગી સંચાલન અને સહયોગને પ્રોત્સાહન આપવું, વિતરણ તંત્રને મજબુત કરીને ગ્રામીણ અને શહેરી બંને વસ્તી માટે જીવનની ગુણવત્તાને વધારવાનો છે. બેઠકમાં ગત ડિસેમ્બરમાં આયોજિત મુખ્ય સચિવોના ત્રીજા રાષ્ટ્રીય સમ્મેલનની ભલામણો પર ધ્યાન આપવામાં આવશે.